TET અને TAT માટે મહત્વપૂર્ણ પ્રશ્નો

TET અને TAT પરિક્ષાની તૈયારી કરતાં ઉમેદવાર માટે ઉપયોગી પ્રશ્નો

  • સામાન્ય રીતે તાદાત્મ્ય અનુભવવાની શરૂઆત ક્યારે થાય છે? – તરુણાવસ્થામાં
  • વિધાર્થી મોડો શાળાએ પહોચે છે,ત્યારે સાયકલનો દોષ કાઢે છે.આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય છે? – પ્રક્ષેપણ પ્રયુક્તિ
  • જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નિષ્ઠા જાળવવા માટે પોતાનો દોષ બીજા ઉપર નાંખે એ ક્યાં પ્રકારની બચાવ પ્રકયુક્તિ છે? – પ્રક્ષેપણ પ્રયુક્તિ
  • સામાજિક રીતે અસ્વીકાર્ય વર્તનની જગ્યાએ સ્વીકાર્ય વર્તન મૂકી માનસિક તણાવ હળવો કરવાના પ્રયાસને ક્યાં પ્રકારની પ્રયુક્તિ કહેવાય છે? – ઊર્ધ્વીકરણ પ્રયુક્તિ
  • કોઈ વ્યક્તિને એક  ક્ષેત્રમાં નિષ્ફળતા મળેલી હોય અને તેની ઉણપને ઢાકવા માટે બીજા ક્ષેત્રમાં તે તેમની ક્ષમતા બતાવી સફળતા મેળવે,તો તે ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ કહે છે? – ક્ષતિપૂર્તિ પ્રયુક્તિ
  • એક છોકરી પોતાને પરીની જેમ ઊડવાની કલ્પના કરે તેને ક્યાં પ્રકારની પ્રયુક્તિ કહેવાય? – દિવાસ્વપ્ન
  • પોતાનું ધાર્યું કામ ન થાય ત્યારે શેઠ નોકર પર ગુસ્સો કરે તેને કઈ પ્રયુક્તિ કહે છે? – આક્રમક્તા
  • મોટી ઉંમરનો વ્યક્તિ નાના બાળક જેવુ વર્તન કરે તેને શું કહે છે? – પરાગતિ
  • વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન – આ વ્યાખ્યા કોણે આપેલી? - બી.એફ.સ્કીનર
  • અધ્યયન એટલે ઉદીપકો અને પ્રતિચાર વચ્ચે જોડાણ સ્થાપવું.આ ક્યાં પ્રકારનું અધ્યયન કહેવાય? – અભિસંધાન દ્વારા અધ્યયન
  • શાસ્ત્રીય અભિસંધાન ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યું હતું? – ઇવાન પાવલોવ
  • ઘંટ વાગતા વિધાર્થીઓ વર્ગમાં જાય એ ક્યાં પ્રકારનું અભિસંધાન કહેવાય ? – શાસ્ત્રીય અભિસંધાન
  • કારક અભિસંધાનના જનક કોણ કહેવાય છે? - બી.એફ.સ્કીનર
  • પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિધ્ધાંત કોણે આપ્યો હતો? – એડવર્ડ થોર્નડાઈક
  • બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની,સારી રીતે નિર્ણય લેવાની અને સારી રીતે તર્ક કરવાની શક્તિ. – આ વ્યાકયા કોણે આપી હતી? – બીને અને સાયમને
  • મનોવિશ્લેષણાત્મક સિધ્ધાંત કોણે આપેલો ? – ડો.સિગમંડ ફ્રોઈડ
  • જરૂરિયાતનો સિધ્ધાંત કોણે આપ્યો ? – મેસ્લો
  • ક્ષેત્ર સિધ્ધાંત કોણે આપ્યો ? – કર્ટ લેવીન
  • શરીર રચનાનો સિધ્ધાંત કોણે આપ્યો ? – શેલ્ડન
  • શીલગુણ સિધ્ધાંત કોણે આપ્યો ? - જી.ડબલ્યુ.એલપોર્ટ
  • વ્યક્તિત્વનો સિધ્ધાંત કોણે આપ્યો ? – કાર્લ રોજર્સ
  • શાહીના ડાઘાની પધ્ધતિ કોણે આપી ? – હરમન રોશકે
  • TAT નું પૂરું નામ શું છે? – થેમેટિક અપરસેપ્શન કસોટી
  • TAT કસોટીની રચના કોણે કરી? – મારે અને મોર્ગન
  • HTP નું પૂરું નામ શું છે? House Tree Person
  • સમૂહ બુધ્ધિ માપન કસોટીની રચના કોણે કરી હતી? – ભાનુબહેન શાહ
  • જમવાનો સમય થાય ત્યારે બેલ પડે છે,ત્યારે બેલ પડે તેમાં બેલ શું છે? – પ્રતિચાર
  • શીખવાની પ્રક્રિયા પર ક્યાં પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે ? – જાતિયતા
  • વિધાર્થી શાળાએ મોડો પહોચી જુદા જુદા બહાના બનાવે છે,તો તે કઈ પ્રયુક્તિ કહેવાય છે? – યૌક્તિકીકરણ પ્રયુક્તિ
  • ફ્યુરિસ્ટિક પધ્ધતિના પ્રણેતાનું નામ શું છે? - એક.ઇ.આર્મસ્ટ્રોંગ
  • બાળકો દ્વારા કરવામાં આવતી સહજવૃતિને કેવા પ્રકારની પ્રવૃતિ કહેવાય? – જન્મજાત પ્રવૃતિ
  • વિધાર્થીઓમાં સૌથી વધુ શેનો પ્રભાવ જોવા મળે છે? – પ્રેરણાનો
  • પ્રોજેકટ પધ્ધતિના પ્રણેતા કોણ છે? – કિલ પેટ્રિક
  • સમીપતાનો સંબંધ એટલે શું ? – બે ઉદીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવા
  • ગુજરાતમાં પૂર્વ સેવા તાલીમનો જૂનો PTC અભ્યાસ હવે ક્યાં નામે ઓળખાય છે? – ડિપ્લોમા ઇન એલિમેંટરી એજ્યુકેશન
  • ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ ચરણ ક્યૂ છે? – સમસ્યા પસંદગીનું
  • કોલના મત મુજબ બાલ્યાવસ્થા કઈ છે? – 6 થી 12 વર્ષ
  • એસાઇનમેન્ટ પધ્ધતિનો મહત્વનો ગુણ ક્યો છે? – વિધાર્થીઓ પ્રયોગશાળામાં જાતે શીખે છે
  • શિક્ષકના વાણી અને વર્તનમાં ફેરફાર ન હોવા જોઈએ. – આ વિધાન કોણે આપ્યું? – મેકેનન
  • આદર્શવાદના પ્રણેતા કોણ છે? – પ્લેટો,મહર્ષિ અરવિંદ,સોક્રેટિસ અને એરિસ્ટોટલ
  • જ્ઞાનાત્મક હેતુનો સંબંધ કોની સાથે છે? – મગજ સાથે
  • પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? – રવિન્દ્રનાથ ટાગોર,રૂસો અને ફ્રોબેલ
  • પ્રૌઢ પ્રવૃતિ,બાળકોની સુટેવો અને નઇ તાલીમ શિક્ષણ સાથે અનુક્રમે જોડાયેલા મહાનુભાવના નામ જણાવો. – જ્હોન ડ્યુઈ, ગિજુભાઈ બધેકા અને મહાત્મા ગાંધીજી