ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ (ગુજરાતી સાહિત્ય)

ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

  • સ્થાપના : 1848
  • સૌથી જૂની સંસ્થા
  • ફાર્બસ સાહેબે (એલેક્ઝેન્ડર ફાર્બસ) તેના ગુરુ દલપતરામના સહકાર દ્વારા ડિસેમ્બર,1848 માં ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે આ સંસ્થાની સ્થાપના કરેલી.(દલપતરામે કન્યા કેળવણીના કાર્યને પણ વેગ આપેલો)
  • 1849માં વર્તમાન નામનું સાપ્તાહિક શરૂ કરાયું.
  • 1850માં બુધ્ધિપ્રકાશ નામનું માસિક શરૂ કરાયું (ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્યિક સામાયિક)
  • સ્વતંત્રતા બાદ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ ગુજરાત વિધાસભામાં ફેરવાયું, હે હાલમાં અમદાવાદ ખાતે આવેલ છે.
  • આ સંસ્થા દ્વારા સ્થપાયેલ હિમાભાઇ ઈન્સ્ટિટ્યૂટને હાલમાં નેટિવ લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે.
  • બુધ્ધિવર્ધક સભાની સ્થાપના ૧૮૫૧માં કવિ નર્મદ અને તેના મિત્રોએ કરેલી.

ફાર્બસ ગુજરાતી સભા

  • સ્થાપના : ૧૯૫૪
  • મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મુંબઈ ખાતે આ સંસ્થાની સ્થાપના કરેલી.
  • બુધ્ધિવર્ધક સભાના ગ્રંથ આ સંસ્થામાં સંગહીત કરાયેલા છે.
  • ૧૯૩૨ થી ત્રિમાસિક મુખપત્રની શરૂઆત કરાઇ.
  • સાહિત્ય સંસદ
  • કનૈયાલાલ મુનશીએ આ સંસ્થાની સ્થાપના કરેલી.તેમાં ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ નામનો સંશોધન ગ્રંથ પ્રગટ કરેલો,તેમજ ગુજરાત માસિક અને ત્રિમાસિક શરૂ કરેલ.

નર્મદ સાહિત્ય સભા

  • સ્થાપના : ૧૯૨૩
  • આ સભાનું પહેલાનું નામ ગુજરાત સાહિત્ય મંડળ હતું જે ૧૯૩૯માં નર્મદ સાહિત્યસભા કરવામાં આવ્યું.
  • ૧૯૪૦થી આ સાહિત્યિક સંસ્થા દ્વારા કવિતા,નાટક,ઇતિહાસ વગેરે ના શ્રેષ્ઠ સર્જન માટે નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે,જે દર પાંચ વર્ષે આપવામાં આવે છે.(પ્રથમ સુવર્ણચંદ્રક મેળવનાર-જ્યોતીન્દ્ર દવે)

ગુજરાત વિધાપીઠ

  • સ્થાપના : ૧૯૨૦ (ગાંધીજી દવારા)
  • આ સંસ્થાનું ધ્યાનમંત્ર : સા વિધા ય વિમુક્તએ
  • સામાયિકો : પુરાતત્વ, સાબરમતી, શિક્ષણ અને સાહિત્ય.
  • પત્રો : નવજીવન,હરીજન અને યંગ ઈન્ડિયા
  • ૧૯૨૯માં સાર્થ ગુજરાતી જોડણીકોશની પ્રથમ આવૃતિ પ્રકાશિત કરેલી.
  • ૨૦૦૫માં ગુજરાતી જોડણીકોશની પુરવણી પ્રકાશિત કરેલી.
  • ભારતીય વિધાભવન
  • સ્થાપના : ૧૯૩૮
  • કનૈયાલાલ મુનશી દ્વારા આ સંસ્થાની સ્થાપના થયેલી જે મુંબઈ ખાતે આવેલી છે.
  • કાર્ય : સાહિત્ય તેમજ સંસ્કૃતિના સંવર્ધન અને તેનો પ્રસાર પ્રચાર કરવાનું.

ગુજરાત સાહિત્ય અકાદમી

  • સ્થાપના : ૧૯૮૨
  • સ્થાન : અમદાવાદ
  • તેના પ્રથમ પ્રમુખ મહમ્મદ માંકડ હતા.
  • તેનું મુખ પત્ર શબ્દસૃષ્ટિ છે.
  • ૧૯૬૦માં ભાષાના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં ભાષાનિયામક કચેરીની સ્થાપના થઈ,તેમાં ૧૯૭૮-૭૯ના સમયગાળા દરમિયાન અલગ અલગ ભાષાની શરૂઆત થઈ.
  • ૧૯૮૨થી તેને ગુજરાત સાહિત્ય અકાદમીમાં રૂપાંતરિત કરવામાં આવી અને તે સ્વતંત્ર સંસ્થા તરીકે ૧૯૯૩થી કાર્યરત થયેલી.
  • સંસ્થા દ્વારા લેખકોને સહાય કરવામાં આવે છે તેમજ ઉત્તમ સાહિત્ય સર્જનને પુનઃમુદ્રણ માટે પણ સહાય કરે છે.
  • તેમના દ્વારા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

ગુજરાતી સાહિત્ય સભા

  • સ્થાપના : ૧૯૦૪ (રણજિતરામ વાવભાઈ મહેતા દ્વારા)
  • સ્થાન : અમદાવાદ
  • આ સંસ્થાની રજત જયંતીથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન કરનારને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે.(સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીને લોકસાહિત્યના સંપાદક તરીકે મળેલો)

ગુજરાતી સાહિત્ય પરિષદ

  • સ્થાપના : ૧૯૦૫ (રણજિતરામ વાવભાઈ મહેતા દ્વારા)
  • સ્થાન : અમદાવાદ
  • તેનું મુખ પત્ર પરબ જે ૧૯૬૦થી શરૂ કરાયેલું અને ત્રિમાસિક ભાષાવિમર્શ છે.
  • ૧૯૦૫માં પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી
  • ૧૯૨૦માં આનંદશંકર ધ્રુવ અને રમણભાઈ નીલકંઠે સેવા આપેલી.
  • ૧૯૨૦ અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોર હતા.
  • ૧૯૨૮-૫૫ કનૈયાલાલ મુનશીએ સેવા આપેલી.(૧૯૩૬ માં આયોજિત બારમાં પરિષદમાં પ્રમુખ પદે મહાત્મા ગાંધી રહેલા)(૧૯૫૮માં પ્રથમ સમ્મેલન યોજાયેલું)
  • ૧૯૮૧માં કલા સ્વાધ્યાય મંદિરનો આરંભ થયો.
  • ૨૦૧૩માં આ સાંઠા દ્વારા સંચાલિત ગ્રંથવિહાર નામનું વેચાણ કેન્દ્ર ખુલ્લુ મુકાયું,જેનું ઉદ્દઘાટન નિરંજન ભગતે કરેલું.
  • આ સંસ્થા દ્વારા દર બે વર્ષે ૬૦ જેટલા પુરસ્કાર આપવામાં આવે છે.

પ્રેમાનંદ સાહિત્ય સભા

  • સ્થાપના : ૧૯૧૬
  • સ્થાન : વડોદરા
  • આ સાહિત્ય સભાનું નામ પહેલા વડોદરા સાહિત્ય સભા હતું,જે ૧૯૪૪માં બદલી પ્રેમાનંદ સાહિત્ય સભા કરવામાં આવેલું.
  • આ સંસ્થા દ્વારા દર બે વર્ષે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.